હિંમતનગર : આયુર્વેદના તબીબોએ આંખ, કાન, નાક સહિત ૫૮ પ્રકારની સર્જરી કરવાની છુટ આપવામાં આવી છે ત્યારે કેન્દ્ર સરકારના આ ર્નિણય સામે મોર્ડન મેડીસીનના તબીબોએ વિરોધ દર્શાવી આંદોલનના શ્રી ગણેશ શરૂ કર્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ હિંમતનગર ખાતે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન હિંમતનગર બ્રાન્ચ દ્વારા બપોરે ૧૨થી ૨ દરમિયાન સિવિલ સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન સાથે દેખાવો કર્યા હતા. આગામી ૧૧મી ડિસેમ્બરે સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી કોવિડ અને ઇર્મજન્સી સિવાયની તમામ તબીબી સેવાઓ બંધ રાખીને એક દિવસની હડતાલની જાહેરાત સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કેન્દ્ર સરકારના આ ર્નિણયનો વિરોધ કર્યો હતો.  

આ અંગે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન હિંમતનગર બ્રાન્ચના પ્રમુખ ર્ડા.જયરાજ ભટ્ટ અને સેક્રેટરી ર્ડા.મેહુલભાઇ પટેલે જણાવ્યુ હતું કે ઇન્ડીયન મેડીકલ એસોસીએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા દેશવ્યાપી આંદોલનને સમર્થન આપી કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદ શાખાના તબીબોને આંખ, કાન, નાક સહિતની ૫૮ પ્રકારની સર્જરી કરવાની છુટ આપવામાં આવી છે. તેની સામે નારાજગી દર્શાવી આ કાયદો રદ કરવાની માંગ કરી છે. ગુજરાતમાં પણ ઠેરઠેર વિરોધ પ્રદર્શન દેખાવો યોજાઇ રહ્યા છે ત્યારે હિંમતનગર સિવિલ સર્કલ ખાતે પૂર્વ પ્રમુખ ર્ડા.ભુપેન્દ્રભાઇ શાહ સહિત તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં જણાવાયુ હતુ કે એકીકી કરણના નામે સીસીઆઇએમએ દ્વારા આયુર્વેદ શાખાના તબીબોને સર્જરીની જે છુટ આપવામાં આવી છે તે નોટીફીકેશન પરત ખેચાવુ જાેઇએ. મોર્ડન મેડીસીનના તબીબોની માંગણી છે કે આયુર્વેદ અને એલોપેથી એમ બન્ને તબીબી શાખાઓની કાર્યપ્રણાલી અને નિતીરીતી અલગ છે. મિક્ષોપેથીની ખોટી પ્રર્થા સાથે મોર્ડન મેડીસીનના તબીબો નારાજગી સાથે વિરોધ દર્શાવીને આંદોલન ચલાવી રહ્યા છે જેને હિંમતનગરની ઇન્ડીયન મેડીકલ એસોસીએશ બ્રાન્ચના તબીબોએ ટેકો જાહેર કર્યો છે.