મહેસાણા-

જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઇથી 8 કિલોમીટર દૂર બુધવારે બપોરે 12.46 કલાકે 1.6 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ વિજલાસન ગામની હદમાં જમીન સ્તરથી 5.2 કિલોમીટર નીચે નોંધાયું હતું. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા ખાતે ધરોઈ પર્વતીયાળ વિસ્તારમાં ભૂકંપના આંચકા છાસ વારે નોંધાતા હોય છે. જેને કારણે અહીં ભૂકંપ માપક કેન્દ્ર બનવવામાં આવ્યું છે. જેમાં તાજેતરમાં ભૂકંપ માપક કેન્દ્રથી 8 કિલોમોટર દૂર વિજલાસન ગામની સીમમાં જમીનના પેટાણમાં ધરા ધ્રુજારી અનુભવાઈ હતી અને 1.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે મહત્વનું છે કે, આ ભૂકંપનું ઉદ્ભવ કેન્દ્ર જમીનમાં 5.2 કિમિ ઊંડે નોંધાયો છે. આમ જમીનમાં થતા દબાણને પગલે થતી હલચલથી વધુ એકવાર ધરોઈ નજીક 1.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે.