અમદાવાદ-
અમદાવાદ મેટ્રો કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપી છે. રાહુલ ગાંધીના વકીલ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે, રાહુલ ગાંધી અનેક પ્રકારની રાજકીય અને સામાજિક પ્રવૃતિ સાથે જોડાયેલા છે. જેથી તે દરેક મુદ્દતે કોર્ટમાં હાજર રહી શકે નહીં. આ અરજીને કોર્ટે માન્ય રાખી છે અને દર મુદ્દેતે હાજર રહેવામાંથી મુક્તિ આપી છે. લોકસભાની ચૂંટણી દરમિયાન જબલપુરમાં એક જાહેર સભામાં રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યા કેસના આરોપી કહ્યા હતા. જેથી અમદાવાદના કાલુપુર વોર્ડના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટ નંબર-16માં રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી. આથી કોર્ટે જે તે સમયે ફરિયાદીનું વેરિફિકેશન કરી રાહુલ ગાંધી સામે સમન્સ જાહેર કર્યુ હતું અને 9 ઓગસ્ટે સુનાવણી રાખી હતી, પરંતુ રાહુલ ગાંધી હાજર રહ્યા નહોતા. કોર્ટે રાહુલ ગાંધીને દરેક મુદ્તે હાજર રહેવામાંથી મુક્તિ આપતા કહ્યું કે, કેસમાં આગળ જ્યારે પણ જરૂર પડશે ત્યારે રાહુલ ગાંધીએ હાજર રહેવુ પડશે. જે અંગેની બાંહેધરી અગાઉ પણ તેમના વકીલ દ્વારા આપવમાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments