ગીર સોમનાથ-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન બન્યા તે વખતે યોજાયેલી બેઠકમાં મંદિરના વિકાસ સાથે પ્રવાસીઓને આકર્ષવા ૩૦૦ કરોડથી વધુના વિવિધ પ્રોજેકટો પર ચર્ચાઓ સાથે આગામી દિવસોમાં આ પ્રોજેકટોને અમલી બનાવવા કટીબધ્ધતા દર્શાવવામાં આવી હતી.

કરોડો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવા દેશના પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રવાસનને પ્રોત્સાહન આપવા સરકાર અને ટ્રસ્ટ કટિબદ્ધ બન્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ નવા કામો માટેના મહત્વપૂર્ણ નિર્ણયો પ્રથમ બેઠકમાં જ લેવાયા છે.જે અંર્તગત કરોડોના અનેકવિધ મહાત્વકાંક્ષી પ્રોજેક્ટો તૈયાર કરાયા હોવાનું ટ્રસ્ટના સચિવ પ્રવિણચંદ્ર લહેરીએ જણાવ્યું હતું. જેમાં સોમનાથમાં કાચની ટર્નલથી દરિયાઇ જીવસૃષ્ટિ જોઇ શકાશે તો ત્રિવેણી દેહોત્સર્ગથી સામાકાંઠે કેબલ બ્રિજ, વોટર સ્પોર્ટસ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ સાથે ઘાટને સુશોભિત કરાશે. આ ઉપરાંત પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. યાત્રાળુઓ માટે સ્નાન સહિતની સુવિધાના કામોત્રિવેણી સંગમથી સ્મશાનઘાટ સુધી યાત્રિકો વિધી કાર્યો, અંતિમ સંસ્કાર બાદની વસ્તુઓ નદીમાં ન જાય તે માટે ઘાટમાં અલગ ચેનલ બનાવવામાં આવશે અને તેમાં એકઠો થયેલો કચરો સ્મશાન પાસે શુધ્ધિકરણ પ્લાન્ટમાં લાવી નદીનું પાણી સ્વચ્છ, પ્રદૂષણમુક્ત અને નાહવાલાયક બનાવાશે.ત્રણ નદીઓનો જ્યાં સંગમ થાય છે અને ભગવાન કૃષ્ણએ યાદવોનું પીંડદાન કર્યું હતું એવા, પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ દેહોત્સર્ગથી સામાકાંઠે કેબલ બ્રિજ, વોટર સ્પોર્ટસ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ સાથે ઘાટને સુશોભિત કરાશે. સોમનાથ ટ્રસ્ટ આગામી દિવસોમાં પાર્વતી મંદિરનું નિર્માણ કરી રહ્યું છે. યાત્રિ પ્લાઝા ઉપરાંત શહિદ હમીરજી ગોહિલ સર્કલથી સીધી લીટીમાં સોમનાથ મંદિર જોઇ શકાય એવી વ્યવસ્થા ઉભી કરશે.