દિલ્હી-

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવાઇ મુસાફરી કરતા સિનિયર સિટીઝનને એક મોટી ભેટ આપી છે. દેશમાં, 60 વર્ષથી ઉપરના કોઈપણને હવે અડધા ભાવે એર ઇન્ડિયાની ટિકિટ મળશે. આ અંગેની માહિતી બુધવારે ઉડ્ડયન મંત્રાલયે શેર કરી છે. એર ઇન્ડિયાની વેબસાઇટ પર આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે મુજબ આ નિયમો લાગુ કરવામાં આવશે.

ભારતીય નાગરિકત્વ, વરિષ્ઠ નાગરિકો, ભારતમાં કાયમી વસવાટ કરે છે, જેમની મુસાફરીની તારીખથી 60 વર્ષની વય થઈ ગઈ છે. ઇકોનોમી કેબિનમાં પસંદ કરેલા બુકિંગ વર્ગના મૂળ ભાડાનો 50 ટકા લેવામાં આવશે. ભારતના કોઈપણ ક્ષેત્રની મુલાકાત લેઈ શકાય છે. ટિકિટ આપવાની તારીખથી એક વર્ષ માટે લાગુ રહેશે. સાત દિવસ અગાઉથી ટિકિટ બુક કરવા પર માન્ય રહેશે. ચાલો તમને જણાવી દઈએ કે આ પ્રકારની યોજના અગાઉ એર ઇન્ડિયા દ્વારા પણ ચલાવવામાં આવતી હતી, જોકે હવે મંત્રાલય દ્વારા માન્યતા આપવામાં આવી છે.