દિલ્હી-

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. મંગળવારે તેમણે ફરી એકવાર ટ્વિટર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના નિવેદનના આધારે રાહુલે કહ્યું કે પીએમ મોદીએ ઇરાદાપૂર્વકના ડિફોલ્ટરોને બચાવવા માટે કામ કર્યું હતું.

ઉર્જિત પટેલનું એક પુસ્તક તાજેતરમાં બહાર આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, લોન નહીં ભરનારા લોકો પર મોદી સરકાર નરમ રહી હતી અને આરબીઆઈને પણ નરમ રહેવાની સૂચના આપવામાં આવી હતી. તેના પર રાહુલ ગાંધીએ હવે કેન્દ્ર સરકારને ઘેરી લીધી છે.રાહુલ ગાંધીએ લખ્યું છે કે ઉર્જિત પટેલ બેન્કિંગ સિસ્ટમની સફાઇ કરવામાં રોકાયેલા હતા, પરંતુ તેના કારણે તેમની નોકરી ગઈ હતી. કેમ, કારણ કે પીએમ મોદી લોન નહીં ચૂકવનારા લોકો સામે પગલાં લેવા માંગતા ન હતા.