મોરબી-

શહેરના કાલિકા પ્લોટનો ભૂમાફિયા અનેક ગુન્હામાં સંડોવાયેલો છે , તેની સામે પશુપાલન વિભાગે સરકારી જમીન પચાવી પાડવા સબ લેન્ડ ગ્રેવિંગની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે પોલીસે આરોપીને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના પશુપાલન વિભાગમાં નાયબ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવતા નરેશભાઈ જીવાભાઈ કાસુન્દ્રાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી કે, તેમના વિભાગને ત્રાજપર ગામના સરકારી સર્વે નંબર 28/01 પૈકી 2 ઘેટા સંવર્ધન ફાર્મ માટે ફાળવવામાં આવી હતી. જે જગ્યા પર ટીમે તપાસ કરતાં અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અને કાલિકા પ્લોટમાં રહેતો દાઉદ મહમદભાઈ પલેજા દ્વારા 6 દુકાનો બનાવી હતી, જેમાંથી ચાર દુકાનોને ભાડે આપી હતી. હિન્દ હોટલ, પાન મસાલાની દુકાન, પંચરની દુકાન, ટ્રાન્સપોર્ટની ઓફીસ એમ આ ચાર દુકાનો ભાડે આપી તેનું ભાડું પણ લેતો હતોજે અંગે પશુપાલન વિભાગે દુકાનો ખાલી કરવા નોટીસ આપી હોવા છતાં તેનો અમલ કરવામાં ન હતો આવ્યો.જે બાદ જમીન પચાવી પાડવાના ગુન્હામાં ફરિયાદ નોંધાઈ હતી. ભૂમાફિયા કે, જે અન્ય ગુન્હામાં પણ જેલ જઇ આવ્યો છે.