ગાંધીનગર-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1181 થી વધુ નોંધાયા છે. જેની સામે 1413 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 09 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3569 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1181 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,51,596 થયો છે. તેની સામે 1,32,310 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.

રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,51,596 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15,717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,51,596 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15,717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 86 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 15,631 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,32,310 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3569 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 3 દર્દીના મૃત્યુ નોંધાયા છે.