દિલ્હી,

જૂનમાં સરેરાશ 14 લાખથી વધારે ઇ-વે બિલ જનરેટ થયા છે. નવી કરપ્રણાલી જીએસટી પ્રણાલીમાં રૂ.50,000થી વધારે મૂલ્યના માલસામાનના પરિવહન માટે ઇ-વે બિલ આવશ્યક હોય છે. જીએસટી નેટવર્ક (જીએસટીએન)એ કહ્યુ કે, જૂનમાં દરરોજ 14.26લાખ ઇ-વે બિલ જનરેટ કરાયા છે જે કોરોના વાયરસની મહામારીની લીધે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન પૂર્વેના સ્તરના લગભગ 77 ટકા બરાબર છે.

જીએસટીએન એ નિવેદનમાં જણાવ્યું કે, કંપનીઓ અને ટ્રાન્સપોર્ટરોએ જૂનમાં 12.40લાખ કરોડ રૂપિયાના માલની માટે 4.27 કરોડ ઇ-વે બિલ ઇશ્યૂ કર્યા છે. જે માર્ચમાં જનરેટ કરાયેલા 11.43લાખ કરોડ રૂપિયાની મૂલ્યવાળા ચાર કરોડ બિલથી વદારે છે. નિવેદનમાં જણાવ્યુ છે કે લોકડાઉનમાં છુટછાટ બાદ આર્થિક ગતવિધિઓમાં આવેલા સુધારાના આ સંકેત છે. એપ્રિલમાં 3.90 લાખ કરોડ રૂપિયાના 84.53લાખ અને મે મહિનામાં 8.98 લાખ કરોડ રૂપિયાના ઇ-વે બિલ જનરેટ કરાયા હતા. જેની તુલનામાં સરકારના પોર્ટલથી ફેબ્રુઆરીમાં 15.39 લાખ કરોડ રૂપિયાના 5.63 કરોડ અને જાન્યુઆરીમાં 15.71 લાખ કરોડ રૂપિયાના 5.61 કરોડ બિલ જનરેટ કરાયા હતા. આંકડાઓ મુજબ 25 જાન્યુઆરીથી 24 માર્ચ 2020 દરમિયાન દરરોજ સરેરાશ 18.49 લાખ ઇ-વે બિલ જનરેટ કરાયા છે.

લોકડાઉનના પ્રથમ તબક્કા ૨૫ માર્ચથી 14 એપ્રિલ દરમિયાન આ આંકડો મોટા ઘટાડા સાથે 1.72 લાખ બિલ દૈનિક પર આવ્યો હતો. લોકડાઉન 2.0 દરમિયાન 15 એપ્રિલથી ત્રણ મે સુધી સરેરાશ દૈનિક 3.51 લાખ ઇ-વે બિલ જનરેટ કરાયા હતા. લોકાડઉનના ત્રીજા તબક્કા એટલે કે ચાર મેથી 14 મે દરમિયાન દૈનિક6.75લાખ બિલ જનરેટ કરાયા હતા.