અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1407 થી વધુ નોંધાયા છે. જેની સામે 1204 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3322 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1407 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,23,337 થયો છે. તેની સામે 1,03,775 દર્દીઓ સાજા થઇ જતા, તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

રાજ્યવાર માહિતી જોવા જઈએ તો, રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,23,337ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 16,240 નોંધાઈ છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,23,337 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16,240 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 92 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. 16,148 કેસો હાલમાં સ્ટેબલ છે. 1,03,775 દર્દીઓને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3322 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 4 દર્દીના મૃત્યુ નોંધાયા છે.