ગાંધીનગર-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1432 થી વધુ નોંધાયા છે. જેની સામે 1470 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 16 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3305 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1432 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવદર્દીઓનો આંક 1,21,930 થયો છે. તેની સામે 1,02,571 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલ માંથી રજા આપવામાં આવી છે. 

અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,21,930ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 16,054 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,21,930 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16,054 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 97 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 15,957 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,02,571કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3305 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 4 દર્દીના મૃત્યુ નોંધાયા છે.