નવી દિલ્હી,તા.૧૭ 

ફ્રાન્સમાં કોરોનાવાયરસ વચ્ચે ચાલી રહેલી ફૂટબોલ લીગ બુંદેસલિગાનું ટાઇટલ બાયર્ન મ્યૂનિખે પોતાના નામે કર્યું છે. તે સતત આઠમીવાર ચેમ્પિયન બન્યું છે. બુંદેસલિગાની શરૂઆત ૧૯૬૩માં થઈ હતી. ત્યારથી લઈને બાયર્ન ૫૮માંથી સૌથી વધુ ૩૦ ટાઇટલ જીત્યું છે.બાયર્ને મંગળવારે વર્ડર બ્રેમેન ક્લબને ૧-૦થી હરાવી હતી. ટીમ માટે એકમાત્ર ગોલ રોબર્ટ લેવનડોસ્કીએ ૪૩મી મિનિટમાં કર્યો હતો. અગાઉની મેચમાં બાયર્ને બોરુશિયાને ૨-૧થી હરાવી હતી.બાયર્ને વેર્ડર સામેની મેચ જીતીને ૮મી વખત ટાઇટલ પોતાના નામે કર્યું છે. પોઇન્ટ્‌સ ટેબલમાં બાયર્ન ૭૬ પોઇન્ટ્‌સ સાથે ટોચનું સ્થાન ધરાવે છે. બીજા ક્રમે બોરૂશિયા ડોર્ટમંડના ૬૬ પોઇન્ટ છે. આ સિઝનમાં બુંડેસ્લિગાની ૨૩ વધુ મેચ બાકી છે. છેલ્લી મેચ ૨૭ જૂને રમવામાં આવશે. બાયર્ને, જેમણે પોતાના ખિતાબની પુષ્ટિ કરી છે, હજી વધુ બે મેચ રમવાની બાકી છે. કોરોનાવાયરસને કારણે ૮ મી માર્ચે સિઝન અટકી ગઈ હતી. આ પછી, તેને ૧૬ મેથી પ્રેક્ષકો વગર ફરીથી લોન્ચ કરવામાં આવ્યો. બુંદેસલિગાની આ સીઝનમાં ૨૩ મેચ બાકી છે. છેલ્લી મેચ ૨૭ જૂને રમાશે. બાયર્ને હજી ૨ મેચ રમવાની છે. કોરોનાવાયરસના કારણે સીઝન ૮ માર્ચે રોકવામાં આવી હતી. તે બાદ ૧૬ મેના રોજ દર્શકો વિના ટૂર્નામેન્ટ ફરી શરૂ થઈ હતી.પોલેન્ડના સ્ટાર ફૂટબોલર લેવનડોસ્કીએ બુંદેસલિગાની આ સીઝનમાં ૩૧ ગોલ કર્યા છે. આ તેનું કોઈપણ સીઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન છે.

ૈંઁન્ ટી-૨૦ની બેસ્ટ ટૂર્નામેન્ટ છે, તેનું આયોજન થવું જોઇએઃ શિવરામકૃષ્ણન

નવી દિલ્હી,તા.૧૭

ભારતના પૂર્વ લેગ સ્પિનર અને જાણીતા કામેન્ટેટર લક્ષ્‍મણ શિવરામકૃષ્ણને આઇપીએલને લઇને એક મોટુ નિવેદન આપ્યુ છે, તેમના મતે આઇપીએલ ટી૨૦ ફોર્મેટની સૌથી બેસ્ટ લીગ છે. આઇપીએલનુ આયોજન થવુ જોઇએ, કેમકે આમાં યુવા ક્રિકેટરોને પોતાનુ ટેલેન્ટ બતાવવાનો મોકો મળે છે.શિવરામકૃષ્ણનએ કહ્યું કે આઇપીએલ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આયોજિત થનારી બેસ્ટ ટી૨૦ લીગ છે, અને આનુ આયોજન ફરીથી એપ્રિલ-મેમાં પણ થવુ જોઇએ. શિવરામકૃષ્ણનએ કહ્યું કે બીસીસીઆઇ જલ્દી આઇપીએલના ભવિષ્ય પર ફેંસલો લઇ શકે છે. હાલમાં અહીં ટી૨૦ વર્લ્ડકપને લઇને આઇસીસીના ફેંસલાનો ઇન્તજાર છે, ત્યારબાદ એ ખબર પડી જશે કે આઇપીએલ માટે નવી વિન્ડો મળે છે કે કેમ. શિવરામકૃષ્ણનએ આગળ કહ્યું કે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આઇપીએલનુ આયોજન થાય છે, તો પણ આગામી વર્ષે ફરી એકવાર આઇપીએલ રમાડવી જોઇએ.