ગાંધીનગર-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા. હવે રાજ્યના નવા મુખ્યમંત્રીની નિમણૂક માટે ભાજપના મોવડીમંડળ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જેના અંતર્ગત કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે મોડી રાત્રિના અમદાવાદ આવી પહોંચશે. આવતીકાલે ભાજપના ધારાસભ્યોની બેઠક મળવાની છે. આ બેઠકમાં રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા કરવામાં આવશે.
ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીને જીતવા માટે ભાજપ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી શકે છે. આ રણનીતિ મુજબ રાજયમાં મુખ્યમંત્રીની સાથોસાથ બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. આ રણનીતિ અનુસાર ભાજપ કોઈ પાટીદારને મુખ્યમંત્રી બનાવી શકે છે. જ્યારે તેમની સાથે બે નાયબ મુખ્યમંત્રીમાંથી એક ઓબીસી સમાજમાંથી અને બીજા આદિવાસી સમાજમાંથી બની શકે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments