ભરૂચ, ભરૂચ લોકસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટી બીજેપી ના સિનિયર સાંસદ સાંસદ મનસુખ વસાવા કોરોના પોઝિટિવ થયા બાદ ૫ દિવસથી તબિયતમાં કોઈ સુધારો નહિ આવતા અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. બીજેપી ના છેલ્લી ૬ ટર્મથી ચૂંટાતા આદિવાસી સાંસદ સાંસદ મનસુખ વસાવા હવે કોરોના મહામારીમાં સપડાયા છે. ભરૂચ લોકસભા મતવિસ્તારના સાંસદ મનસુખ વસાવાને ૫ દિવસ પહેલા સામાન્ય તાવ સાથે શરીરમાં નબળાઈ જણાઈ હતી. તેઓએ કોરોના રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ૐઇઝ્ર્‌ ટેસ્ટમાં પણ ફેફસામાં ઇન્ફેક્શન જાેવા મળ્યું હતું.

આખાબોલા સાંસદ હોમ કવોરંટાઇન રહીને જ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા, જાેકે બુધવારે તેઓની તબિયતમાં કોઈ સુધારો જાેવા નહીં મળતા તેમને અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓની તબિયતને લઈ ભરૂચ-નર્મદા જિલ્લા ભાજપ સાથે લોકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.