મુંબઈ-

મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ બાદ રાજ્યના ગરુમંત્રી અનિલ દેશમુખે આજે રાજીનામું રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપ્યું છે. પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ અનિલ દેશમુખ સતત વિવાદોમાં હતા અને આ કેસથી મહારાષ્ટ્રની સરકાર પર પણ દબાણમાં હતી. નોંધનીય છે કે આજે જ બોમ્બે હાઇકોર્ટ દ્વારા નેલ દેશમુખ પર મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં સોમવારે બોમ્બે હાઇકોર્ટ દ્વારા મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. 100 કરોડ રૂપિયા વસૂલીના આરોપોની તપાસ હવે CBI દ્વારા કરવામાં આવશે. બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં CBI તપાસના આદેશ આપી દીધા છે. બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે પ્રાથમિક તપાસ CBI દ્વારા દ્વારા કરવામાં આવશે અને તેમાં બધાએ સહયોગ આપવાનો રહેશે. 15 દિવસમાં CBIના ડાયરેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવશે અને જૉ CBIને દેશમુખ સામે કેસ મજબૂત બનશે તો CBI FIR દાખલ કરશે.