વિશાખાપટ્ટનમ-

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના એક ગામમાં ગુરુવારે બનેલા એક ખોફનાક હત્યાકાંડમાં એક જ ઘરના ૬ સભ્યોને એક વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે આ મામલાની તપાસ શરુ કરી છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, મૃતક પરિવારના એક સભ્યે ગામની યુવતી પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. આ સાંભળીને યુવતીના પિતાએ બદલો લેવાનુ નક્કી કર્યુ હતુ. એ પછી તેણે રેપ કરનારના પરિવારને ટાર્ગેટ કરીને આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. જાેકે બળાત્કાર કરનાર તો હજી ફરાર છે. પોલીસે ઘટનાની તપાસ શરુ કરી છે. દરમિયાન ગામમાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે આ મામલામાં હવે ગામના લોકોની પણ પૂછપરછ શરુ કરી છે. જાેકે હત્યા કરનાર પકડાયો કે નહીં તે અંગે પોલીસે હજી કોઈ જાણકારી આપી નથી