ધનસુરા, તા.૧૦ 

બાયડ તાલુકાના તાલોદ ગામનો વતની નરેશભાઈ બાબુભાઈ રાઠોડ ધનસુરા નજીક આવેલી દર્શન હોટલના રસોડામાં કામ કરતો હતો. છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલા પોતાના પુત્રની વાત જાણી જાણી તેના પિતા બાબુભાઈ મકનાભાઈ રાઠોડ ખૂબ પરેશાન હતા. દર્શન હોટલની પાછળ આવેલા ખાળકુવાના ગંદા પાણીના ખાડામાં એક લાશ પડી હોવાની વાત જાણતાં તેના પિતા સ્થળ પર પહોંચી જોતાં લાશ તેઓના પુત્ર નરેશભાઈ બાબુભાઈ રાઠોડ ઉં વ. ૩૦ ની હોવાનું બહાર આવ્યું હતું. મરનારના પિતાએ ધનસુરા પોલીસને જાણ કરતાં ધનસુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સરકારી દવાખાને મોકલી આપી હતી. મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. મ્રુતકના વતનમાં ઘટનાની જાણ થતાં મ્રુતકના પરિજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મ્રુતકના પરિજનો એ યુવકની હત્યા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ રહસ્યમયી મોતની ધનસુરા પોલીસે તપાસ હાથ ધરી છે.