નાના પાટેકર ફિલ્મી પરદેથી ઘણા સમયથી દૂર છે. તેના ચાહકો માટે એક સારા વાવડ છે. નિર્માતા ફિરોઝ નડિયાદવાલા પ્રસિધ્ધ સ્પાઇમાસ્ટર રામશ્વર નાથ કાવના જીવન પર આધારીત એક વેબ સિરીઝ અને એક ફિલ્મ બનાવી રહ્યા છે.

જેમાં નાના પાટેકરને મુખ્ય રોલ અપાયો છે. ઉલ્લેખનિય છે કે આર. એન. કાવએ ભારત દેશની સંસ્થા 'રો'માં ખુબ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ રોના પહેલા ચીફ હતાં. સાજીદે કહ્યું હતું કે તે પાંચ વર્ષથી આ પ્રોજેકટ પર કામ કરે છે. સોૈ પહેલા તે વીસ એપિસોડના રૂપમાં વેબ સિરીઝ રજૂ કરશે. નાના પાટેકરને મુખ્ય કલાકાર તરીકે પસંદ કરી લેવાયા છે.

બીજા કલાકારોની પસંદગીની કામગીરી હવે થશે. વેબ સિરીઝ અને ફિલ્મ બંને માટે કલાકારો એક સરખા જ હશે. આ ફિલ્મ અને સિરીઝ સત્ય ઘટના પર આધારીત હશે. રોનો ઇતિહાસ તેમજ કાવના અનેક મિશન્સ દેખાડવામાં આવશે.

શુટીંગ આ વર્ષના નવેમ્બર માસમાં શરૂ થઇ જશે. અગાઉ કાવના જીવન પર કરણ જોહરે પણ ફિલ્મની જાહેરાત કરી હતી. હવે નિર્માતા સુનિલ બોહરા થ્રિલર સિરીઝ રૂપે રજૂ કરશે.