રાજપીપળા, નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પેહલા નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલે પોતાના હોદ્દા અને કોંગ્રેસના સભ્ય પદેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામુ મોકલી આપતા ખળભળાટ મચ્યો છે.ભૂતકાળમાં “પાટીદાર” આંદોલને સરકારની ઊંઘ હરામ કરી દીધી હતી, નર્મદા જિલ્લામાં નિકુંજ પટેલે જે તે વખતે “પાટીદર” અનામત આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.”પાટીદાર” અનામત આંદોલનમાં મુખ્ય ભૂમિકા જાેતા કોંગ્રેસે એમને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકેનું મહત્વનું પદ આપ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની રાજપીપળામાં જંગી રેલી અને સભા સંબોધી હતી.એ દરમિયાન નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામુ આપનાર નિકુંજ પટેલ અને પૂર્વ પટ્ટીના કોંગ્રેસ આગેવાન અને નર્મદા જિલ્લા કોંગ્રેસ ઉમપ્રમુખ મનોજ તડવી ભાજપમાં જાેડાયા હતા.અત્રે એ ઉલ્લેખનિય છે કે મનોજ તડવીએ કોંગ્રેસ માંથી જિલ્લા પંચાયત ટિકિટ માંગી હતી, એ ન મળતા તેઓ નારાજ હતા. નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે રાજીનામુ આપનાર નિકુંજ પટેલ નાંદોદ સ્ન્છ પી.ડી.વસાવાના અંગત વ્યક્તિ પૈકીના એક હતા.નર્મદા જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરાયા બાદ એમને એવું તો શું થયું કે એમણે પક્ષ છોડવાનો વારો આવ્યો.ચર્ચાઓ તો એવી પણ છે કે કોંગ્રેસ સંગઠનથી તેઓ પોતે ટિકિટ વહેચણી બાદ નારાજ ચાલી રહ્યા હતા એ જ કારણે એમણે રાજીનામુ ધર્યુ હશે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિકુંજ પટેલ સાથે જાતે ટેલિફોનિક વાત કરી હતી .