વડોદરા, તા. ૨૩

શહેરના દસ વર્ષિય મલ્લખંભ ખેલાડી શૌર્યજીત ખૈરેને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૃના હસ્તે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર – ૨૦૨૩ એનાયત કરવામાં આવ્યો હતો.

દસ વર્ષિય મલ્લખંબ ખેલાડી શૌર્યજીત ખૈરે વડોદરાની નામાંકિત ૧૫૦ વર્ષ જૂના પ્રો.માણિક રાવજી શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિર , દાંડીયાબજાર ખાતે તાલીમ મેળવ હતી. તે તાજેતરમાં યોજાયેલ નેશનલ ગેમ્સમાં ભાગ લીધા બાદ તેની તૈયારીઓ કરી રહ્યો હતો તે દરમ્યાન તેના પિતાનું નિધન થયું હતુ તે છતાં તેને અદભૂત પ્રદર્શન કરીને તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. તેના આ પ્રદર્શનથી વડાપ્રધાન પણ પ્રભાવીત થયા હતા. તેને આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિજ્ઞાન ભવન , નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો.