નવસારી-

ક્ષાબંધનના તહેવાર પર પોતાના ગામ પરત ફરી રહેલા મૂળ મધ્યપ્રદેશના મજૂરોની કાર નેશનલ હાઇવે નંબર 48 પર ખડસુપા ઓવરબ્રિજ પર અચાનક પાછળથી કાળ બનીને આવેલા અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે ચાલક, બાળકો સહિત 12 લોકોને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ 2 મહિલાના મોત નિપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત 5 લોકોને સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ કારમાં બેઠેલા મધ્યપ્રદેશના મજૂરો સાથે જ ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 22 વર્ષીય પ્રકાશ ગોરસિંગ ડામોરનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતું, જ્યારે કારમાં ફસાયેલા મજૂરોને રાહદારીઓ અને ગ્રામજનોએ મહા મહેનતે બહાર કાઢી, એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં વધુ 2 મહિલાના ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યાં હતા. આ ઉપરાંત, ગંભીર રીતે ઈજાગ્રસ્ત 5 મજૂરોને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૂળ મધ્યપ્રદેશના મજૂરો રક્ષાબંધનના તહેવાર પર પોતાના ગામ પરત જતા સમયે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બાળકો સહિત 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, આ ઉપરાંત અકસ્માત દરમિયાન એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, આ સાથે સારવાર દરમિયાન વધુ 2 મહિલાના મોત નિપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત 5 લોકોને સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.