મુંબઈ-

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કરણ જૌહરને સમન્સ મોકલ્યુ છે. બોલિવૂડનું જાણીતું નામ કરણ જૌહરને એનસીબીએ પૂછપરછ માટે બોલાવ્યો છે. એનસીબીનું કહેવુ છે કે, કરણ જૌહર કોઈ કેસમાં ફસાયેલો નથી, બસ ડ્રગ્સ કેસમાં અમુક પૂછપરછ કરવાની છે. બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ કરણ જૌહરની મુશ્કેલી વધતી દેખાય છે. કરણ જૌહરના ઘરે આયોજીત કરવામાં આવેલી પાર્ટીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને એનસીબીએ યોગ્ય જાહેર કર્યો હતો. કરણ જૌહરને બુધવારના રોજ સમન્સ મોકલવામા આવ્યુ છે. તેણે 2019માં પાર્ટી સાથે જોડાયેલા તમામ રેકોર્ડ ઉપલબ્ધ કરાવ્યા છે. જેમ કે, પાર્ટીમાં કોણ કોણ સામેલ હતું. કોણે વીડિયો શૂટ કર્યા. શું કોઈ નિમંત્રણ કાર્ડ પણ આપવામાં આવ્યુ હતું. આ તમામ જાણકારી શુક્રવાર 18 ડિસેમ્બર સાંજ સુધીમાં આપવામાં આવે તેવું જણાવામાં આવ્યુ છે.