કાઠમાંડૂ-
નેપાળ સરકારે મહિલાઓની રક્ષા માટે એક નવો નિયમ જાહેર કર્યો છે. તે અંતર્ગત જાે કોઈ મહિલા વિદેશની યાત્રા કરવા માંગતી હોય તો તેણે પોતાના પરિવાર અને સ્થાનિક વોર્ડની મંજૂરી લેવી પડશે. આ કાયદા અંતર્ગત ૪૦ વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓને આવરી લેવામાં આવી છે. નેપાળના અધિકારીઓએ આ નવા નિયમને સમર્થન જાહેર કર્યું છે. અધિકારીઓના કહેવા પ્રમાણે કમજાેર નેપાળી મહિલાઓને માનવ તસ્કરીનો શિકાર બનતી અટકાવવા માટે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. નેપાળના પરિવહન વિભાગનાડીજી રમેશ કુમારના કહેવા પ્રમાણે માનવ તસ્કરો વિદેશમાં આકર્ષક નોકરી અપાવવાનો દાવો કરીને કમજાેર, અશિક્ષિત અને ગરીબ મહિલાઓને પોતાનો શિકાર બનાવે છે.
આ મહિલાઓને યૌન શોષણનો ભોગ બનાવાય છે અને તે સિવાય પણ અનેક પ્રકારના ગુના કરવામાં આવે છે. રમેશ કુમારના કહેવા પ્રમાણે વિદેશ યાત્રા માટે ૪૦ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને આવા દસ્તાવેજાેની જરૂર નહીં પડે. આ નવો નિયમ જે કમજાેર છે અને પહેલી વખત વિદેશ પ્રવાસ કરી રહી છે તેવી મહિલાઓ માટે છે. તે સિવાય ખાસ કરીને આ નિયમ એકલી જનારી અને ખતરનાક આફ્રિકી અને ખાડી દેશો માટે લાગુ કરવામાં આવ્યો છે જ્યાં નેપાળી મહિલાઓને કામ કરવાની પરમિટ નથી મળતી. રાષ્ટ્રીય માનવાધિકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ૨૦૧૮ના વર્ષમાં ૧૫,૦૦૦ મહિલાઓ અને ૫,૦૦૦ છોકરીઓ સહિત આશરે ૩૫,૦૦૦ લોકોની તસ્કરી થઈ હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments