રાનકુવા, તા.૧૮ 

નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્‌નાં છે. રોજના નવા નવા પોઝિટિવ કેસો સપાટી પર આવી રહ્‌ના છે આજે સવારે વઘુ ૧૭ પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં ડોકટર, ડાયમંડ વર્કર, આયા, તેમજ શાકભાજી વેપારીના છોકરાનો સમાવેશ થાય છે.જ્યારે આજે સારવાર દરમિયાન એક વ્યક્તિ નું મોત થયું છે જેથી મોતની સંખ્યા ૨૩ ઉપર પહોંચી છે.

નવસારી કોલીવાડ કાલીયાવાડીમાં રહેતા ૫૪ વર્ષીય પુરુષ, ગણદેવીના દુવાડામાં રહેતા ૨૪ વર્ષીય ડાયમંડ વર્કર, ગણદેવી માહ્‌નાવંશી મહોલ્લોમાં રહેતા ૫૬ વર્ષીય, બીલીમોરામાં રહેતા ૨૯ વર્ષીય કારખાનાના મેનેજર, ૨૯ વર્ષીય યુવક, તલોધના પાણીની ટાંકી પાસે રહેતા ૩૧ વર્ષીય વોર્ડ આયા, નવસારીમાં રહેતા અને સુકત કોલિડ હોસ્પિટલથી શુકવારે ડેપ્યુટેશનથી ઘરે આવેલા ૩૦ વર્ષીય યુવક, જલાલપોર આંબાવાડી ખાતે રહેતા ૩૪ વર્ષીય સીક્યુરીટી ગાર્ડ, જલાલપોર ગૌરી શંકર મહોલ્લોમાં રહેતા ૫૯ વર્ષીય મહિલા, જલાલપોર રોડ તાશંકદ નગરમા રહેતો ૫૯ વર્ષીય ટેમ્પો ડ્રાઈવર, નવસારી શાંતાદેવી રોડ ખાતે રહેતો ૩૭ વર્ષીય યુવક,વીજલપોરમાં રહેતા ૭૨ વર્ષીય વુધ્ધા વગેરે પોઝિટિવ આવ્યા હતા.