નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે બુધવારે વડોદરાના દિવંગત મહારાજા રણજીત સિંહની નવી દિલ્હીમાં સ્થિત સંપત્તિને લઇ એક મોટો ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટે આ દરમિયાન સંપત્તિના કબ્જાને લઇ કડક ટિપ્પણી કરતા રસપ્રદ વાત કહી. કોર્ટે ટિપ્પણીમાં કહ્યું કે- આ દિલ્હી છે, બરોડાનું ગામ નથી. કોર્ટે ૭ સફદરગંજ લેન, નવી દિલ્હી સ્થિત સંપત્તિના વિવાદને લઇ ચુકાદો આપતા મહારાજાને સંપત્તિમાં કોઇ જ દખલગીરી ના કરવાની નોટિસ ફટકારી છે. ચુકાદો સંભળાવતા ન્યાયાધીશ ડી.એન. પટેલે મહારાજા પર કડક ટિપ્પણીઓ કરી હતી.

જાણકારી અનુસાર નવી દિલ્હી સ્થિત વિવાદાસ્પદ સંપત્તિને મહારાજાએ નવી દિલ્હીમાં વિવાદિત સંપત્તિ મહારાજે સાડા સાત હજાર રૂપિયાના ભાડા લીઝ પર ખરીદી હતી. કોર્ટે આ અંગે ટિપ્પણી કરી અને મહારાજાને કહ્યું કે, આ દિલ્હી છે, બરોડા ગામ નથી. આ ઉપરાંત કોર્ટે મહારાજાને દર મહિને ૧૦ લાખ રૂપિયા સંબંધિત ઓથોરિટીને આપવાનો આદેશ પણ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે સ્ટે અરજી અથવા લેટર્સ પેટન્ટ અપીલ (જે અગાઉ છે) ના અંતિમ ર્નિણય સુધી મહારાજાએ આ રકમ ચૂકવવી પડશે.

જાણકારી અનુસાર મહારાજાએ ૭૫૦૦ રૂપિયાની સામાન્ય રકમ આપીને સંપત્તિ પર કબજાે કર્યો હતો. સ્ટેની માંગ કરનારા વકીલે કોર્ટ સામે લીઝની રકમની પૂર્ણ ચૂકવણીના દસ્તાવેઝ પણ આપ્યા હતા. નોંધનિય છે કે, રણજીત સિંહ ગાયકવાડનું વર્ષ ૨૦૧૨માં અવસાન થયુ હતું. તેમની મોત બાદ વર્ષ ૨૦૧૩માં ૧૯૮૮થી ચાલી રહેલ ૨૫ વર્ષ જૂના સંપત્તિ વિવાદમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. એક સપ્તાહની અંદર જ પોતાનું આખુ સૈન્ય તૈનાત કરી શકે છે. બીજી બાજુ ભારતીય સેનાના યોજનાકારોના જણાવ્યા પ્રમાણે ચીનના આ ખતરાને ધ્યાનમાં રાખતા જ ઈન્ડિયન આર્મીએ પૂર્વી લદ્દાખમાં જ્યાં સુધી યથાસ્થિતિ ના બની જાય ત્યાં સુધી એલર્ટ રહેશે.

ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે, તે ચીની સૈનિકોને સંપૂર્ણ રીતે પાછા હટાવ્યા બાદ જ પીછેહટ કરશે. ચીની સેનાના અભ્યાસમાં મહત્વપૂર્ણ બાબત એ રહી છે કે, તેને પોતાના વર્ષિક અભ્યાસ શેદુલા કે શહીદુલ્લા સૈન્ય મથકે કર્યો હતો જે કારાકોરમથી માત્ર ૯૪ કિલોમીટર દૂર છે. કારાકોરમ પાસ ભારતના દૌલત બેગ ઓલ્ડી એરપોર્ટથી ખુબ જ નજીકના અંતરે છે. ૧૯મી સદીમાં ડોગરા જનરલ જાેરાવર સિંહે રણનૈતિક રૂપે અતિ મહત્વના એવા આ આખા વિસ્તાર પર જ કબજાે જમાવી લીધો હતો.