આણંદ : તાજેતરમાં રાજ્યની મહાપાલિકાઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતો અને પાલિકાઓના ચૂંટણી જંગમાં કોંગ્રેસનો સફાયો થતાં હવે લઘુમતી સમાજમાં પણ નારાજગી વ્યાપી છે. એક ચર્ચા મુજબ, આણંદના લઘુમતી સમાજ દ્વારા સામરખા નજીક ગુપ્ત બેઠક યોજી ગુજરાતમાં પ્રવેશેલાં નવાં પક્ષ સાથે જાેડાવાનો ર્નિણય લેવાયો હોવાનું કહેવાય છે. પંથકમાં નવાં રાજકીય સમીકરણ ફૂંકાતાં હોવાની હવા ચાલી રહી છે, એવી ચર્ચા છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, તાજેતરમાં રાજ્યની મહાપાલિકાઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતો તેમજ પાલિકાઓમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. આવી જ પરિસ્થિતિ આણંદ પંથકમાં પણ ઊભી થઈ છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જાેડાયેલાં લઘુમતી સમાજને પણ હું, બાવો અને મંગળદાસે ચૂંટણી દરમિયાન ટિકિટ ફાળવણી ન કરતાં તે સમયથી જ આક્રોશનું વાતાવરણ ઊભું થયું હતું. આણંદના લઘુમતી સમાજ દ્વારા તાજેતરમાં ચૂંટણીના પરિણામ બાદ સામરખા નજીક ગુપ્ત બેઠક યોજી નવાં આવેલાં પક્ષ સાથે જાેડાઈ જવાં બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ગુપ્ત બેઠક પછી પંથકમાં રાજકારણ ગરમાયું છે. આમ જ ચાલતું રહ્યું તો કોંગ્રેસ માટે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચઢાણ કપરાં બની જશે, એવી સ્થિતિ હાલ ઊભી થઈ રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments