બેંગ્લોર-

કર્ણાટકમાં વેન્ટિલેટર અને ઑક્સિજન ના મળવાના કારણે વધુ ૮ દર્દીઓના મોત થયા છે. વધુ ૮ દર્દીઓના મોત બાદ રાજ્યમાં ઑક્સિજન અને વેન્ટિલેટર ના મળવાના કારણે મરનારાઓનો આંકડો ૭૨ કલાકમાં વધીને ૪૦ થઈ ગયો છે. હુબલીની એક હૉસ્પિટલમાં ૫ લોકોના મોત થયા. જાે કે અધિકારીઓએ ઑક્સિજનની કમીના કારણે મોત થયા હોવાનો ઇનકાર કર્યો. પરિવારે આરોપ લગાવ્યો છે કે ઑક્સિજનના પુરવઠામાં સમસ્યા થયા બાદ સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ દર્દીઓના મોત થઈ ગયા, જિલ્લા વહીવટી તંત્રએ મોતના કારણોની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.

જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડૉ. યશવંત મડિનકરે કહ્યું કે હૉસ્પિટલમાં ૩૦ જમ્બો ઑક્સિજન સિલેન્ડર છે, જ્યારે અહીં ૨૧ કોવિડ દર્દીઓની સારવાર ચાલી રહી હતી. તર્ક આપવામાં આવ્યો કે ઑક્સિજનની કમીના કારણે દર્દીઓના મોત નથી થયા તેમણે કહ્યું કે, હૉસ્પિટલમાં ૨દ્ભન્ ક્ષમતાનું ઑક્સિજન કન્ટેનર છે અને પ્રાકૃતિક હવના ઉપયોગથી ૮૫,૦૦૦ લીટર ઑક્સિજનનું ઉત્પાન થાય છે. તેમણે કહ્યું કે, જાે ઑક્સિજનની તંગી પડે છે તો સિસ્ટમ આનું એલર્ટ પહેલા જ મોકલી દેત.

આ ઘટનાથી બે દિવસ પહેલા ચામરાજનગર હૉસ્પિટલમાં ૨૪ કોવિડ દર્દીઓના મોત થઈ ગયા હતા. બુધવારના ૨૬ વર્ષના એક યુવકનું હૉસ્પિટલમાં મોત થઈ ગયું. યુવકના પરિવારે આરોપ લગાવ્યો હતો કે યુવકને હૉસ્પિટલમાં એ બેડથી હટાવી દેવામાં આવ્યો જેના પર ઑક્સિજનની વ્યવસ્થા હતી. યુવકના મોત બાદ તેના પરિવારે વિરોદ પ્રદર્શન કર્યું અને હૉસ્પિટલની બારીઓ તોડી દીધી હતી. બેલાગવીમાં એક ૫૮ વર્ષિય કોવિડ શંકાસ્પદ દર્દીનું મોત થયું. તેમના પરિવારે આરોપ લગાવ્યો કે તેઓ તેને રિક્ષામાં લઇને વેન્ટિલેટર બેડની શોધમાં ભટકી રહ્યા હતા. મૃતકના દીકરાએ કહ્યું કે, તે પોતાના પિતાને લઇને ૫ પ્રાઇવેટ હૉસ્પિટલોમાં ગયો, પરંતુ વેન્ટિલેટર ના મળ્યું.