અમદાવાદ રાજ્યમાં ફરી કોરોના સંક્રમણ વધતા સરકાર દ્વારા કેટલાક ર્નિણયો લેવાયા છે. જેમાં રાત્રિ કફ્ર્યૂમાં ૨ કલાકનો વધારો, બીઆરટીએસ અને એએમટીએસ બસ સેવા બંધ, બાગ-બગીચા તેમજ લેક સહિતના અનેક વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા છે. અમદાવાદ આજથી બીઆરટીએસ અને એએમટીએસ બસ બંધ થતા અનેક લોકોએ આ ર્નિણયનો વિરોધ કર્યો છે. ત્યારે એનએસયુઆઇના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. તમામ પીપીઇ કીટ પહેરીને યુનિવર્સિટી પહોંચ્યા હતા. તેઓની માંગ છે કે, કોરોના સમયમાં પરીક્ષા રદ્દ થાય અથવા ઓનલાઈન પરીક્ષા લેવાય તેવી માંગ કરી છે.

અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ગુરુવારથી શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવાનો ર્નિણય લીધો છે, જેને કારણે અનેક નોકરિયાત વર્ગ, સામાન્ય અને ગરીબ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. લોકોમાં રોષ એ વાતનો છે કે કોર્પોરેશન એકાએક મોડી રાતે ર્નિણય લઈ લે છે અને જનતાને હેરાન થવું પડે છે. ચૂંટણીઓ અને મેચમાં હજારો લોકો ભેગા થયા ત્યારે કેમ ર્નિણય ન લેવામાં આવ્યો. એએમટીએસ અને બીઆરટીએસ બસમાં બે સીટમાં એક સીટ પર એક વ્યક્તિ એમ ૫૦ ટકા સાથે બસો ચાલુ રાખવી જાેઈએ એવી માગ કરી છે.