અમદાવાદ રાજ્યમાં ફરી કોરોના સંક્રમણ વધતા સરકાર દ્વારા કેટલાક ર્નિણયો લેવાયા છે. જેમાં રાત્રિ કફ્ર્યૂમાં ૨ કલાકનો વધારો, બીઆરટીએસ અને એએમટીએસ બસ સેવા બંધ, બાગ-બગીચા તેમજ લેક સહિતના અનેક વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા છે. અમદાવાદ આજથી બીઆરટીએસ અને એએમટીએસ બસ બંધ થતા અનેક લોકોએ આ ર્નિણયનો વિરોધ કર્યો છે. ત્યારે એનએસયુઆઇના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. તમામ પીપીઇ કીટ પહેરીને યુનિવર્સિટી પહોંચ્યા હતા. તેઓની માંગ છે કે, કોરોના સમયમાં પરીક્ષા રદ્દ થાય અથવા ઓનલાઈન પરીક્ષા લેવાય તેવી માંગ કરી છે.
અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ગુરુવારથી શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવાનો ર્નિણય લીધો છે, જેને કારણે અનેક નોકરિયાત વર્ગ, સામાન્ય અને ગરીબ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. લોકોમાં રોષ એ વાતનો છે કે કોર્પોરેશન એકાએક મોડી રાતે ર્નિણય લઈ લે છે અને જનતાને હેરાન થવું પડે છે. ચૂંટણીઓ અને મેચમાં હજારો લોકો ભેગા થયા ત્યારે કેમ ર્નિણય ન લેવામાં આવ્યો. એએમટીએસ અને બીઆરટીએસ બસમાં બે સીટમાં એક સીટ પર એક વ્યક્તિ એમ ૫૦ ટકા સાથે બસો ચાલુ રાખવી જાેઈએ એવી માગ કરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments