ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત અને તેમના ભવિષ્ય માટે સતત સારા ર્નિણયો લેવામાં આવી રહ્યાં છે. જેના અંતર્ગત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ધોરણ ૯ થી ૧૦ અને ૧૨ માં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ર્નિણય લેવાયો છે કે, હેતુલક્ષી પ્રશ્ન ૨૦ ટકા પૂછાતા હતા, તેને બદલે હવે ૩૦% પુછાશે. ગુણાત્મક પ્રશ્નો ૮૦% પૂછાતા હતા, તેને બદલે આ વર્ષથી ૭૦ ટકા પૂછવામાં આવશે. લાંબા સમય બાદ શૈક્ષણિક કામગીરી શરૂ કરાઈ છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના શિક્ષણ શૈલી પર મોટી અસર પડી છે. આવામાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ જાહેરાત કરતા કહ્યું કે, ધોરણ ૯, ૧૦ તેમજ ધોરણ ૧૧ અને ૧૨ ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સ્થિતિ હમણાંની જ સ્થિતિ છે તમને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને વિશાળ હિતમાં ર્નિણય લેવામાં આવ્યો છે. હેતુલક્ષી પ્રશ્ન ૨૦ પૂછાતા હતા, તેને બદલે હવે ૩૦% પુછવામાં આવશે. ગુણાત્મક પ્રશ્નો ૮૦% પૂછવામાં આવતા હતા, તેને બદલે આ વર્ષથી ૭૦ ટકા પૂછવામાં આવશે. દરેક વિદ્યાર્થી સારી રીતે પરીક્ષા આપી શકે એ માટે મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યના ૨૧ લાખ ૭૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને સરળતાથી આપી શકે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જઈ શકે એવા ર્નિણય લેવામાં આવ્યા છે.