દિલ્હી-

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને એક અનામી પત્ર મળ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ગુરુવારે સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી.તેમણે કહ્યું કે આ ધમકીભર્યા પત્ર મળ્યા બાદ રાજ્ય સરકારે આ વિષયની તપાસના આદેશ આપ્યા છે. આ પત્ર પટનાયકના નિવાસસ્થાનના સરનામે આવ્યો હતો અને તે અંગ્રેજીમાં લખાયેલો છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ષડયંત્રનો માસ્ટર માઇન્ડ નાગપુર (મહારાષ્ટ્ર) માં રહે છે.

આ પત્ર 5 જાન્યુઆરીએ મળ્યો હતો. આ પછી, વિશેષ સચિવ (ગૃહ) ડો.સંતોષ બાલાએ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ વિષયની તપાસ કરવા આદેશ આપ્યો છે. બાલાએ એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રીના નિવાસસ્થાન, સચિવાલય અને તેમની મુલાકાત દરમિયાન સુરક્ષા વધારી દેવામાં આવી છે.