પ્રશ્વિમ બંગાળ-

મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પડકાર ફેંકતા જણાવ્યું કે, આ વર્ષ રાજ્યમાં દુર્ગાપૂજા ન કરવા માટે અફવાઓ ફેલાઇ રહી છે. જો આવું સાબિત થશે તો તે જાહેર જનતાની સામે કાન પકડીને 100 વખત ઉઠક બેઠક કરશે.

મુખ્યપ્રમંત્રી મમતાએ કહ્યું કે, એક રાજકીય પક્ષ દુર્ગા પૂજાને લઇને આવી અફવા ફેલાવી રહ્યો છે. વાસ્તવમાં સરકાર તરફથી કોઇ આવી બેઠક કરવામાં આવી નથી. આપણે એક મહામારીની વચ્ચે છીએ. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષની દુર્ગા પૂજાને લઇને બેઠક કરવાની છે. તેમણે રાજ્યની પોલીસને આ અફવા ફેલાવા વાળાની સામે કાર્યવાહી કરવાનો નિર્દશ આપ્યો છે.

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે, રાજકીય પક્ષ આ અફવા ફેલાવી રહ્યો છે કે, આ વર્ષે રાજ્યમાં દૂર્ગા પૂજાની અનુમતિ આપવામાં આવશે નહીં. રાજ્ય સચિવાલયમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે, સવારથી હું દુર્ગા પૂજાની અફવા સાંભળી રહી છું કે, રાજ્ય સરકાર દ્વારા દુર્ગા પૂજાની અનુમતિ આપવામાં આવશે નહી. તેમણે જણાવ્યું કે, તે સાબિત કરો અથવા તો કાન પકડીને ઉઠક બેઠક કરો.