દાહોદ દાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તા.૨૬ના રોજ સવારના સમયે એરફોર્સના બે ચેતક હેલીકોપ્ટર દાહોદના આકાશમાંથી ઉડવાના છે. આ હેલીકોપ્ટર દ્વારા રાષ્ટ્રધ્વજ ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે આ ઇવેન્ટની માહિતી આપતા કહ્યું કે, વડોદરા એરફોર્સ સ્ટેશન ઉપરથી બે ચેતક હેલીકોપ્ટર તા. ૨૬ના રોજ દાહોદ આવશે. આ હેલીકોપ્ટર દ્વારા તિરંગા ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવશે. આ માટે હેલીકોપ્ટરમાં ૫૦ કિલો ગુલાબના ફૂલો રાખવામાં આવશે. આ ફૂલોને એરફોર્સના જવાન નીચે વરસાવશે. આ માટે એક વખત રિહર્સલ કરવામાં આવશે.