દિલ્હી-

દેશના 74માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારની સાંજે 7 કલાકે દેશની જનતાને સંબોધન કરશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી આવેલા એક નિવેદનમાં આ પ્રકારની જાણકારી અપાઈ છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ કોરોના વાયરસની મહામારી વચ્ચે થઈ રહ્યો છે. ગત મહિને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી એડવાઈઝરીમાં કહેવાયુ હતું કે, સરકાર આ વર્ષ સ્વતંત્રતા દિવસ સમારોહમાં સંખ્યા એકઠી ન થવા પર વિચાર કરી રહી છે. જેના માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. જે લોકો કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં તેઓ વેબ કાસ્ટ દ્વારા તેના પર જોડાઈ શકશે.