દિલ્હી-

કેન્દ્ર તરફથી બનાવવામાં આવેલા ત્રીજા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે ચોથો દિવસ છે, ત્યારે દિલ્હીમાં ખેડૂતોના આક્રોશને ધ્યાને રાખીને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે સાંજે ખેડૂતોને પ્રદર્શન ખતમ કરવા અપીલ કરી હતી.શાહે અપીલ કરી કે, સિંધુ સીમા પર ભારતીય કિસાન યૂનિયનની પંજાબ એકમના અધ્યક્ષ જગજીત સિંહે કહ્યું કે, ગૃહ પ્રધાન અમિત શાહે એક શરત પર જલ્દી મળવાનું આહ્વાન કર્યું છે, તે સારૂં નથી.તેમણે કહ્યું કે, શાહે વગર કોઇ શરતે ખુલ્લા દિલથી વાતચીત કરવાની રજૂઆત કરવી જોઇએ. અમે અમારી પ્રતિક્રિયા નક્કી કરવા માટે સવારે બેઠક કરીશું. કેન્દ્ર તરફથી બનાવવામાં આવેલા ત્રીજા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે ચોથો દિવસ છે, ત્યારે દિલ્હીમાં ખેડૂતોના આક્રોશને ધ્યાને રાખીને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે સાંજે ખેડૂતોને પ્રદર્શન ખતમ કરવા અપીલ કરી હતી.