સુરત-

મૂળ ભાવનગરના અને હાલ સુરતમાં રહેતા શૈલેષ ગાંધીની અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટેની 8 સભ્યોની સમિતિમાં નિમણૂક થઈ છે. એ જ રામ મંદિર કે જેને જોવા માટે રામ ભક્તો વર્ષોથી રાહ જોઈ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે રામમંદિર નિર્માણ માટેની તજવીજ હાથ ધરાઈ છે. સમિતિની રચના પણ થઈ ગઈ છે. આ આઠ સભ્યો ફાઉન્ડેશન ડીઝાઇન સમિતિ ભૌગોલિક સ્થિતિ અંગે માર્ગદર્શન પૂરું પાડશે. જેમાં ગાંધી પણ શામેલ છે. સમગ્ર દેશ માટે આસ્થાનું કેન્દ્ર બનેલા રામ જન્મભૂમિના સ્થાને ભવ્ય મંદિર સાકાર થાય તે માટે દેશભરના નિષ્ણાતોની સેવા લેવાઈ રહી છે. સિવિલ એન્જિનિયરિંગના છાત્રોને નિષ્ણાત બનાવવામાં શૈલેષ ગાંધીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેઓ આઇઆઇટી ચેેન્નઇમાં 27 વર્ષ અને છેલ્લાં ત્રણ વર્ષથી સુરત એસવીએનઆઈટી ખાતે ડિરેકટર પદ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. ફાઉન્ડેશન ડીઝાઇન સમિતિ ભૌગોલિક સ્થિતિ અંગે માર્ગદર્શન પૂરું પાડશે. સમગ્ર દેશ માટે આસ્થાનું કેન્દ્ર બનેલા રામ જન્મભૂમિના સ્થાને ભવ્ય મંદિર સાકાર થાય તે માટે દેશભરના નિષ્ણાતોની સેવા લેવાઈ રહી છે. સિવિલ એન્જિનિયરિંગના છાત્રોને નિષ્ણાત બનાવવામાં શૈલેષ ગાંધીનો મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેઓ આઇઆઇટી ચેેન્નઇમાં 27 વર્ષ અને છેલ્લાં ત્રણ વર્ષથી સુરત એસવીએનઆઈટી ખાતે ડિરેકટર પદ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. અયોધ્યામાં અતિભવ્ય રામ મંદિરના નિર્માણમાં એક ગુજરાતીની મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. રામ મંદિરના નિર્માણમાં એક ગાંધીનો અગત્યનો ફાળો જોવા મળશે. જી હા, રામમંદિર નિર્માણ માટે રચાયેલી 8 સભ્યોની સમિતિમાં સુરતના શૈલેષ ગાંધીનો સમાવેશ કરાયો છે. તેઓ હાલ સુરત ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ડાયરેકટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.