સુરત-

 વર્ષ 2018ના રોજ રામનગરની સગીરાને 22 વર્ષીય આરોપી મોહમદ આદિલ ફકીર મોહમદ સલ્લુશા ભગાવી યુપી લઈ ગયો હતો. યુપીથી આરોપીએ સગીરાના ભાઈ પર કોલ કરી જણાવ્યુ હતુ કે બન્ને લખનઉ છે અને સગીરાને તમે આવી લઇ જાવ. સગીરાને સુરત આવ્યા બાદ આરોપી ફરી તેને બળજબરીથી યુપી લઈ ગયો. બાદમાં ફરી સુરત મુકી ગયો. જે અંગે પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ ઘટના બાદ ફરી આરોપી આદિલે સગીરાને બેહલાવી ફોસલાવી લઈ જઈ બળાત્કાર કર્યો હતો.

કોરોનાને કારણે હાલ સુરત કોર્ટમાં ઓનલાઇન ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે અને આ ઓનલાઇન પ્રક્રિયા દ્વારા હાલ જ એક અપરાધીને પોસ્કો એક્ટ હેઠળ કોર્ટે બે કેસોમાં 20 અને 10 વર્ષની સજા ફટકારી છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા મહંમદ આદિલે સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતું. એવું જ નહિ પરિવારને હેરાન પણ કરતો હતો. બંને કેસમાં આખરે સુરત કોર્ટે તેને સજા ફટકારી છે.