અમદાવાદ-

રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. માત્ર હાઈરાઈઝ બિલ્ડીંગ અને ઔદ્યોગિક એકમો જ નહીં પરંતુ શાળાઓમાં પણ ફાયર સેફ્ટીનો સદંતર અભાવ હોય તે પ્રકારના આંકડા સામે આવ્યા છે. રાજ્યભરની 16 હજારથી વધુ શાળાઓમાંથી 12 હજારથી વધુ શાળાઓ પાસે ફાયર એનઓસી સેફ્ટી નહીં હોવાની વિગતો સામે આવી છે. માત્ર અમદાવાદ શહેરમાં જ એક હજારથી વધારે શાળાઓમાંથી 500થી વધુ શાળાઓમાં ફાયર સેફ્ટીનું એઙ્ગઓસીનથી. અમદાવાદ શહેર વિસ્તારની 1 હજાર 3 શાળા પૈકી 461 શાળા પાસે ફાયર સેફ્ટીની એઙ્ગઓસી છે. જ્યારે 542 શાળા પાસે એનઓસી જ નથી. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની 914 શાળા પૈકી 497 શાળા પાસે એઙ્ગઓસી ફાયર છે. જ્યારે 197 શાળા એઙ્ગઓસી વગરની છે. જ્યારે 220 શાળાઓની એઙ્ગઓસી મેળવવાની કામગીરી ચાલુ છે. 

સુરતમાં 1 હજાર 428 પૈકી 887 શાળાઓની એઙ્ગઓસી ફાયર એઙ્ગઓસી બાકી છે. માત્ર 541 શાળાઓ પાસે એનઓસી છે. તો અન્ય કયા જિલ્લામાં કેટલી સ્કૂલોમાં એનઓસી નથી એના પર નજર કરીએ તો અમરેલીમાં 457, આણંદમાં 531, અરવલ્લીમાં 4, બનાસકાંઠાં 930, ભરૂચમાં 340, ભાવનગરમાં 627, બોટાદમાં 201, છોટાઉદેપુરમાં 234,દાહોદમાં 600, દ્વારકામાં 237, ગીર સોમનાથમાં 162, જામનગરમાં 417, જૂનાગઢમાં 580, કચ્છમાં 567, ખેડામાં 500, મહેસાણામાં 571, પોરબંદરમાં 178, સાબરકાંઠામાં 524, સુરતમાં 887,સુરેંદ્રનગરમાં 466 અને વડોદરામાં 719 શાળાઓ પાસે એઙ્ગઓસી નથી.