મહુધા, તા.૩૦ 

મહુધા બજાર ચોકડી પર છેલ્લાં ઘણાં દિવસથી ઓપન ગટરના પાણી વેપારીઓની દુકાન આગળ અને રસ્તા પર ફરી વળતાં દુકાનદરઓ અને રાહદારીઓમાં ભારે રોષ ફેલાયો છે. મહુધા બજાર ચોકડી પર વેપારીઓની દુકાન આગળથી પસાર થતી ઓપન ગટરના ગંદા પાણી છેલ્લાં ઘણાં દિવસોથી સવાર-સાંજ રસ્તા પર આવી રહ્યાં છે, જેનાં પગલે બજારમાં ખરીદી માટે આવતાં રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. દુકાનદારોના દરવાજે ઘર કરી જતાં ગટરના દુર્ગંધ મારતાં પાણીથી દુકાનમાં આખો દિવસ ગાળવો મુશ્કેલ બની રહે છે. દુકાનદારને ધંધાના સમયે સમયે દુકાન બંધ રાખી આર્થિક નુક્શાન વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે દુકાનદારો દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને અનેક વખત મૌખીક રજૂઆત કરી હતી. તેમ છતાં દુકાન આગાળ જામી જતાં ગટરના પાણીના નિકાલ માટે કોઇ નક્કર પગલાં ભરવામાં આવતાં નથી.  દુકાનદારો અને રાહદારીઓને પડતી હાલાકીનું સત્વરે નિવારણ લાવવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.