રાનકુવા : ચીખલીના દોણ્જા ગામમાંથી પસાર થતી કાવેરી નદી પરનો પુલ છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પગલા લેવામાં આવ્યા નથી.દોણ્જા ખાતે થી પસાર થતી નદી પર આવેલા પુલ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
આ પુલ બનાવવા માટે વપરાયેલ લોખંડના સળીયા પણ બહાર નીકળી આવ્યા છે. આ પુલ ની સામે ની બાજુ દોણ્જા ના મોટાભાગના ખેડૂતોની જમીન આવેલી હોય તેમણે કોઈપણ માલસામાનની હેરફેર કરવા માટે ૫ થી ૧૦ કિલોમીટરનો ચકરાવો કરવાનો વારો આવ્યો છે.આ નદીનો નો પુલ દોણ્જા ગામના હાથીનગર ફળિયા, તેમજ વાંદરવેલા, સાદડવેલ જેવા ગામોને જોડતો હોય ચોમાસા દરમિયાન આ ગામના લોકોએ ૫ થી ૧૦ કિલોમીટરનો ચકરાવો કરીને જવું પડતું હોય છે. આ પુલ પરથી ભારે વાહનો પસાર થઈ શકતા નથી. સ્થાનિકો પોતાની આ સમસ્યાને કેટલાય વર્ષોથી તંત્રને રજૂઆત કરી ચૂક્યા હોય તે છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પગલા લેવામાં આવ્યા નથી. પુલની બાજુમાં રેલિંગ નું કામ પણ કરવામાં આવ્યું નથી. ચોમાસા દરમિયાન આ પુલ નીચો હોવાથી પાણીમાં ગરકાવ થઇ જતો હોય છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments