દિલ્હી-

પાકિસ્તાન વાયુ સેનાનું એક વિમાન એક નિયમિત પ્રશિક્ષણ મિશન દરમ્યાન પિન્ડીગબ, અટોક નજીક દુર્ઘટનાનું શિકાર બન્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. પાકિસ્તાની સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાયલોટને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા દુર્ઘટના સર્જાવા અંગેનું કારણ જાણવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાની સેના અને સૈનિક હથિયારના વિસ્તારની વાત કરવામાં આવે છે પરંતુ હજુ તેમના આધારભૂત સંસાધન સારી હાલતમાં ન હોવાનું માલુમ પડી રહ્યું છે. આ પહેલા માર્ચમાં પણ એક સૈનિક વિમાન ક્રેશ થયું હોવાનું માલુમ પડી રહ્યું છે.