અમદાવાદ-

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મનપા એક્શનમાં આવી છે અને અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે હવે શહેરના પાન-ગલ્લા બંધ કરવાના આદેશ આપ્યા છે. શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે આ કોરોના સંક્રમણની ચેન તોડવા માટે તંત્ર દ્વારા જે જગ્યા પર ભીડ એકત્ર થાય છે ત્યાં લારી ગલ્લા બંધ કરાવતી હોય છે. ત્યારે મનપાના સોલિડ વેસ્ટ વિભાગે હાથ ધરેલી કાર્યવાહી પ્રમાણે, શહેરમાં જ્યાં સુધી કોરોના સંક્રમણ ઓછું ન થાય ત્યાં સુધી પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ આપ્યો છે. તો જે લોકો આ આદેશનું પાલન નહીં કરે અને ગલ્લા ખોલશે તેમની સામે અમદાવાદ મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે. અમદાવાદમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. અને વધતાં જતાં કેસોનો કાબૂમાં લેવા માટે સરકારે નાઈટ કરફ્યૂ સહિતનાં પ્રતિબંધો લગાવ્યા છે. તેમ છતાં કોરોના કેસો ઘટવાનું નામ લઈ રહ્યા નથી. અને સતત વધી રહ્યા છે. તેવામાં અમદાવાદ તંત્રના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરતાં શહેરમાં પાનનાં ગલ્લાઓ બંધ કરાવવામાં આવી રહ્યા છે.