અમદાવાદ-

પાટડી બેન્ક ઓફ બરોડાના મેનેજર કોરોનાગ્રસ્ત થતા બેન્કને અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવી છે. બેન્ક બહાર બેન્ક ક્યાં સુધી બંધ રહેશે, તે બોર્ડ મુકવામાં આવ્યું નથી. કોઇ સુચના આપવામાં ન આવતા બહારગામથી આવતા ખાતેદારો ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે. પાટડી બેન્ક ઓફ બરોડાના મેનેજર કોરોના ગ્રસ્ત થતા બેન્કને અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવી છે. મળતી જાણકારી મુજબ પાટડીમાં બેન્ક ઓફ બરોડાના મેનેજર તથા અન્ય એક કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા બેન્કનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે. બેન્ક કેટલા દિવસ બંધ રહેશે, તે બાબતે કોઈ બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી. બેન્કમાં લેવડ દેવડ માટે ગામડેથી વાહનમાં આવતાં લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. પગાર અને વૃદ્ધા પેન્શન લેવા આવતા નાગરીકોને ધરમના ધક્કા પડી રહ્યા છે. આ અંગે જાગૃત નાગરિક રાજસિંહ રાણાવતએ ગ્રાહકોની વેદના જણાવી કહ્યું હતું કે, થોડા દિવસો પહેલા પાટડી સહકારી બેન્કમાં ચાર કર્મચારીને કોરોના પોઝિટિવ થયા હતા. તેમ છતાં ગ્રાહકોને તકલીફ ન પડે તેથી બેન્કમાં લેવડ દેવડ ચાલુ રાખવામાં આવી હતી. તો સરકારી બેન્કોમાં આવું કેમ ? તેમ જણાવી ગ્રાહકોની વેદના વ્યક્ત કરી હતી. તથા સરકાર દ્વારા આ બાબતે ધ્યાન દોરવામાં આવે કે, જે તે કર્મચારી કોરોના પોઝિટિવ થાય તો તે કર્મચારીને રજા આપે તે જરૂરી છે. પરંતુ આખી બેન્ક બંધ કરી નાગરીકોને તકલીફમાં ના મુકવામાં આવે તેવી સરકારને નમ્ર વિનંતી છે.