અમદાવાદ-

મગફળીની માંગ કોવિડ-19 પૂર્વેના સ્તરે પહોંચી ગઇ છે તેમજ ચીન, દક્ષિણપૂર્વ એશિયા અને યુરોપથી સારા ઓર્ડર મળવાથી વર્ષ 2020-21માં નિકાસ 10 ટકા વધવાની સંભાવના છે. ઇન્ડિયન ઓઇલસીડ અને પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે મગફળી કનવીનર કિશોર તન્નાના મતે ચીનમાં ઉત્પાદન ઘટવાથી ત્યાંથી મગફળીથી સારી માંગ છે.

ખરીફ 2020માં મગફળીનું બમ્પર ઉત્પાદન થવાથી ભારતીય મગફળી અન્ય ઓરિજન અમેરિકા તેમજ આર્જેન્ટિનાની તુલનાએ સસ્તી છે. પુછપરછ આવી રહી છે તેમજ સોદા થઇ રહ્યા છે. આ વર્ષે નિકાસ બિઝનેસમાં 10 ટકાની વૃદ્ધિ થવાની સંભાવના છે તેમજ તેનાથી વધારે અમારી એક્સચેન્જ રેટ પર નિર્ભર રહેશે. ચીનમાં ભારતીય મગફળીની આયાત પર 15 ટકા આયાત જકાત લાગે છે જ્યારે આફ્રિકાથી સપ્લાય પર કોઇ જકાત નથી. 

વેપારીઓનું કહેવુ છે કે નિકાસમાં હજી વૃદ્ધિ થઇ શકે છે જો ભાડુ ઘટે અને કન્ટેઇનર અને જહાજની ઉપલબ્ધતા વધે તો. નિકાસકારોનું કહેવુ છે કે રોસ્ટેડ અને ફ્લેવર્ડ સિંગદાણાની નિકાસ પણ વધી છે. ભારતમાં ઓગસ્ટમાં 34535 ટન મગફળીની નિકાસ કરી છે જે એક વર્ષ પૂવેના સમાન મહિનામાં 19225 ટન હતી. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન મગફળીની નિકાસ13 ટકા વધીને 174610.53 ટને પહોંચી ગઇ જેનું મૂલ્ય 1571.61 કરોડ રૂપિયા છે. 

આ દરમિયાન ઇન્ડિયન ઓઇલસીડ્સ એન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (આઇઓપીઇપીસી)ના મે ભારતમાં ચાલુ વર્ષે મગફળીનું કૂલ ઉત્પાદન 7728597 ટન થવાનો અંદાજ છે. આંકડાઓ મુજબ દેશભરમાં ખરીફ પાક વર્ષ 2020-21માં મગફળીનું કુલ વાવેતર 5095500 હેક્ટરમાં થયુ તેમજ પ્રતિ હેક્ટર ઉત્પાદકતા 1517 કિગ્રા રહેવાનો અંદાજ છે.