દિલ્હી-
કોરોનાના સંકટની વચ્ચે લાખો યુવાનોની નોકરી જતી રહી છે. મોટી મોટી કંપનીઓએ પણ પોતાના કર્મચારીઓના પગારમાં કાપ મુક્યા છે. ત્યારે આવા સમયે એમ્પ્લોય પ્રોવિડંડ ફંડમાં જમા રહેલી રકમ કર્મચારીઓ માટે કામમાં આવી છે. કેન્દ્ર સરકારે ચોમાસુ સત્રમાં જણાવ્યુ છે કે, લોકડાઉનની જાહેરાત દરમિયાન 25 માર્ચથી લઈને 31 ઓગસ્ટ સુધીમાં ઈપીએફ મેંબર્સે 39 હજાર કરોડથી પણ વધારે રકમ ઉપાડી છે.
શ્રમમંત્રી સંતોષ ગંગવારે લોકસભામાં લેખિતમાં આપેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતું કે, આ વર્ષ 25 માર્ચથી લઈને 31 ઓગસ્ટ સુધી ઈપીએફ ખાતામાંથી 39,402.94 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં પૈસા ઉપાડવામાં આવ્યા હતા. જ્યાં કર્મચારીઓએ કુલ 7,837.85 કરોડ રૂપિયા ઉપાડ્યા છે. ત્યાર બાદ બીજા નંબરે કર્ણાટક આવે છે, જ્યાં લોકોએ પોતાના ફંડમાંથી 5,743.96 કરોડ રૂપિયા ઉપાડ્યા છે. ત્રીજા નંબરે તમિલનાડૂ અને પુડુચેરી આવે છે, ત્યાં લોકોએ 4,984.51 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા.
દેશની રાજધાની દિલ્હીમાં આ સમય દરમિયાન લોકોએ પોતાના ખાતામાંથી 2,940.97 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. શ્રમ મંત્રાલય તરફથી સંતોશ ગંગવારે જણાવ્યુ હતું કે, કોરોનાના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનથી કેટલાય મજૂરો એને કર્મચારીઓ આવેલી આર્થિક મુશ્કેલીઓ માટે સરકારે ઘણા પગલા ભર્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments