નવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિશ્વ જળ દિવસ પર જળશક્તિ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનને કેચ ધી રેન કેમ્પેન નામ આપવામાં આવ્યું હતું. PM મોદીએ વીડિયો-કોન્ફરન્સ દ્વારા એની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, 'પાણી જીવનની અર્થ વ્યવસ્થાનાં તમામ પાસાં માટે ખૂબ જ જરૂરી છે. આજે જ્યારે આપણે ઝડપી વિકાસની વાતો કરી રહ્યા છીએ ત્યારે આ અસરકારક વોટર મેનેજમેન્ટ વિના શક્ય નથી. ભારતના આત્મનિર્ભરતાનું વિઝન વોટર કેનેક્ટિવિટી પર આધારિત છે. આપણે દાયકાઓ પહેલાં જ આ દિશામાં ઘણુંબધું કરવાની જરૂર હતી.'

મોદીએ કહ્યું હતું કે આપણે લોકોની ભાગીદારીથી પાણીને બચાવવાની પહેલ કરીશું, તો એ મુશ્કેલ નહીં લાગે, પરંતુ પાણી રૂપિયા કરતાં પણ વધુ કીમતી લાગશે. આ કામ દાયકાઓ પહેલાં થવું જોઈતું હતું, પરંતુ ન થયું. ભારત જેમ-જેમ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, સામે તેવી જ રીતે જળસંકટ પણ વધી રહ્યું છે.

મોદીએ જણાવ્યુ હતું કે મને ખુશી છે કે જળ શક્તિ પ્રત્યે લોકોમાં જાગૃતતા વધી રહી છે. સમગ્ર દુનિયા આજે જળના મહત્વ પર પ્રકાશ પાડવા માટે ઇન્ટરનેશનલ વોટર ડે મનાવી રહી છે. અમે બે મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય માટે અહીં ભેગા થયા છીએ. દુનિયાની સામે ઉદાહરણ રજૂ થાઉં અને ભારતમાં પાણીની મુશ્કેલીઓ દૂર થાય, એટલા માટે કેન-બેતવા લિન્ક માટે મોટા પગલાં ભરવામાં આવ્યા છે. અટલજીએ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની પાણીની મુશ્કેલીઓને દૂર કરવા માટે જે સપનું જોયું હતું, તેને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. આજે જો કોરોના ન હોત અને જો ઝાંસી બુંદેલખંડમાં આવીને અહીં ઉદ્દઘાટન કરત, તો તેમાં લખો લોકો આવત. આ આટલું મહત્વપૂર્ણ કામ થઈ રહ્યું છે.

આપની જવાબદારી છે કે આપણે આવનારી પેઢીને પાણી આપીને જવાનું છે. પાણીથી પવિત્રતા રાખીશું. આ વર્તમાન પેઢીની જવબદારી છે કે આવનારી પેઢી માટે અત્યારથી જ જવાબદારી નિભાવી. આપણે ભવિષ્યની મુશ્કેલીઓનું અત્યારથી જ સમાધાન શોધવાનું છે. છેલ્લા 6 વર્ષથી આ દિશામાં અનેક પગલાં ભરવામાં આવ્યા છે. પર ડ્રોપ, મોર ક્રોપ, અટલ જળ યોજના, નમામી ગંગા જેવા પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. ભારત વરસાદી પાણીનું જેટલું સારું સંચાલન કરશે, તેટલો ભૂગર્ભ જળ પરનો આધાર ઓછો રહેશે.

મનરેગાના નાણાં અન્ય ક્યાંય જવા ન જોઈએ

ચોમાસાને હજી વાર છે, તેથી હવે પૂર જોશમાં પાણી બચાવવાની તૈયારી કરવી પડશે. ટાંકી, તળાવો અને કુવાઓ સાફ કરવા જોઈએ. જો વરસાદના પાણીના માર્ગમાં કોઈ અવરોધ આવે તો દૂર કરવાનો છે. આ માટે કોઈ મોટી ઇજનેરીની જરૂર નથી. ગામના લોકો જાણે છે કે આ ખૂબ સારી રીતે કેવી રીતે કરવું, ફક્ત કોઈ તેમને બતાવવા માટે જઇ રહ્યા છે, તેઓ તે કરશે. પાણી સંબંધિત જે તૈયારીઓ કરવાની છે, મનરેગાના નાણાં અન્ય ક્યાંય જવા ન જોઈએ. આમાં તમામ નાગરિકોનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ અભિયાનથી ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓને દુષ્કાળમાં રાહત મળશે. આ અભિયાનને ચોમાસાની શરૂઆત પહેલાં અને એ પૂરું થાય એ દરમિયાન 30 માર્ચથી 30 નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. જળ સંરક્ષણમાં જન ભાગીદારી માટે આ અભિયાનને જન આંદોલન સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે. એનો હેતુ વરસાદના પાણીને બચાવવા અને સંરક્ષિત કરવા લોકોને આગળ લાવવાનો છે.

ચૂંટણીવાળાં રાજ્યોને બાદ કરતાં દરેક જગ્યાએ થશે કાર્યક્રમ

આ કાર્યક્રમ પછી જળ અને જળ સંરક્ષણ સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરવા માટે દેશના દરેક જિલ્લાની ગ્રામપંચાયતો અને ગ્રામ સભાઓમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. જળ સંરક્ષણ માટે ગ્રામ સભાઓ જળ શપથ પણ લેશે. આ આયોજન એ રાજ્યોમાં નહીં થાય, જ્યાં ચૂંટણી થવાની છે.