મુંબઇ

લતા મંગેશકર આજે સોમવારે 91 વર્ષના થઇ ગયા છે. તેમનો જન્મ 28 સપ્ટેમ્બરે 1929માં ઇન્દોરમાં પંડિત દીનાનાથ મંગેશકરના ઘરે થયો હતો. તે પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. તેમના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના સામાન્ય લોકોથી લઈને સેલેબ્સે તેમને જન્મદિવસની શુભેચ્છા આપી છે. 

મોદીએ લખ્યું કે, 'આદરણીય લતા દીદી સાથે વાત કરી અને તેમને જન્મદિવસની શુભકામના આપી. તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરું છું. લતા દીદી દેશભરમાં જાણીતું નામ છે. હું ખુદને નસીબદાર માનું છું કે મને હંમેશાં તેમનો સ્નેહ અને આશીર્વાદ મળતો રહ્યો છે.'