નવી દિલ્હી
એક તરફ દેશભરમાં કોરોનાએ કહેર મચાવી રાખ્યો છે ત્યાં બીજી તરફ હરિદ્વારમાં ભવ્ય કુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે હરિદ્વાર કુંભ મેળામાં વધી રહેલા કોરોના સંકટને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે આ કોરોના કાળમાં હવે કુંભ મેળાને પ્રતિકાત્મક જ રાખવો જોઈએ.
પીએમ મોદીએ શનિવારે સવારે ટ્વીટ કરી કહ્યું કે, "આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે આજે મેં વાત કરી છે. તમામ સંતોના સ્વાસ્થ્યનો રિપોર્ટ મેળવ્યો છે. તમામ સંતગણ પ્રશાસનને હરેક પ્રકારનો સહયોગ પણ આપી રહ્યા છે. જેના માટે મેં સંત સમાજનો આભાર વ્યક્ત કર્યો છે. સંત સમાજને મેં અનુરોધ કર્યો છે કે બે શાહી સ્નાન થઈ ચૂક્યાં છે માટે કોરોના વાયરસના સંકટને જોતાં કુંભ મેળાને હવે પ્રતીકાત્મક જ રાખવામાં આવે. આનાથી આ સંકટ સામેની લડાઈને એક તાકાત મળશે."
आचार्य महामंडलेश्वर पूज्य स्वामी अवधेशानंद गिरि जी से आज फोन पर बात की। सभी संतों के स्वास्थ्य का हाल जाना। सभी संतगण प्रशासन को हर प्रकार का सहयोग कर रहे हैं। मैंने इसके लिए संत जगत का आभार व्यक्त किया।
— Narendra Modi (@narendramodi) April 17, 2021
જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સ્વામી અવધેશાનંદ ગિરિએ કહ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આહ્વાનનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને અન્યોના જીવનની રક્ષા મહત્વપૂર્ણ છે. ધર્મ પરાયણ જનતાને મારો અનુરોધ છે કે કોરોના વાયરસની પરિસ્થિતિઓને જોતાં વધુ સંખ્યામાં સ્નાન માટે લોકો કુંભમાં ના આવે અને નિયમોનું પાલન કરે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments