વલસાડ, ધરમપુરના શ્રી કાળા રામજી મંદિરમાં ગઈ તા .૧૧/૦૨/૨૦૨૧ નાં રોજ કલાક ૨૦/૦૦ થી ૨૧/૦૦ દરમ્યાન કોઇ અજાણ્યા ઈસમે મંદિરના મુખ્ય ઓરડામાં પ્રવેશ કરી ઓરડામાં મુકેલ દાનપેટી ઉચકી, ધરમપુર કૈલાશ રોડ ઉપર લઈ જઈ દાનપેટી નું તાળું તોડી દાનપેટીના પૈસા ની ચોરી કરી પલાયન થઈ ગયો હતો જે બાબતે ધરમપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. દાનપેટીના ચોરીનો ગુનો શોધી કાઢવા જીલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા તેમજ નાયબ પોલીસ. અધિક્ષક મનોજસિંહ ચાવડાએ ઝડપી પાડવા સુચના આપી હતી. ધરમપુર પોલીસ સ્ટેશનનાં પો.સ.ઈ એ . કે . દેસાઈ નાએ તેમના સ્ટાફ સાથે તપાસ દરમ્યાન સી.સી.ટી.વી ફુટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ ની મદદ થી ચોરી કરનાર આરોપી મિતુલ પ્રવિણગીરી ગોસ્વામી , ઉ.વ .ઃ ૩૮, રહે . ધરમપુર હનુમાન ફડિયું , તા. ધરમપુરની ધરપકડ કરેલ છે. આરોપી પાસેથી દાનપેટી માથી મળેલરૂ .૬૨૦ તપાસ અર્થે કબજે કર્યા હતા.