શહેરમાં રાત્રિ કરફ્યુનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. રાજમાર્ગો પર પોલીસ કરફ્યુના ઉલ્લંઘન કરનારાં સામે કડક કાર્યવાહી કરી રહી છે. જે મુસાફરો બહારગામથી શહેરમાં આવી રહ્યા છે તેઓને વાહન મળતાં ન હોવાથી પગપાળા ઘરે જાય છે. રાતના આઠ વાગ્યા સુધીમાં તો બજારો સુમસામ થઇ જાય છે.