પોરબંદર-

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને હત્યા કેસમાં હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. પોરબંદરમાં કુતિયાણા વિધાનસભા સીટ પર સતત બે ટર્મથી ધારાસભ્ય બનતા કાંધલ જાડેજાને BJP કાઉન્સિલર કેશુ નેભા ઓડેદરા હત્યા કેસમાં હાઈકોર્ટે નીચલી અદાલતનો હુકમ માન્ય રાખ્યો છે. ગુજરાત સરકારે કાંધલ જાડેજા સામે કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. નીચલી અદાલતે કાંધલ જાડેજાને નિર્દોષ ઠેરવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, NCPના બેનર પર સતત બે ટર્મથી પોરબંદરની રાણાવાવ-કુતિયાણા બેઠક પર ગોડમધર સંતોકબહેન જાડેજાના પુત્ર કાંધલ વિજેતા બની રહ્યા છે. કાંધલ જાડેજા છેલ્લા બે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જીતાડવામાં મદદ કરી ચૂક્યાં છે.

કાંધલ જાડેજા સામે 15 કેસ નોંધાયેલા છે. કાંધલ સામે સૌ પ્રથમ વર્ષ 1994માં કેસ નોંધાયો હતો. જેમાં કાંધલ પાસેથી પિસ્તોલ, બે રિવોલ્વર, રાયફલ અને કારતૂસ મળી આવ્યા હતા. જેમાં ખંડણી, હુમલો, છેતરપિંડી, આર્મ્સ એક્ટ સહિતના ગંભીર આરોપ લાગેલા છે. જ્યારે 15 કેસો પૈકી 10 કેસ પોરબંદર જિલ્લામાં, 3 કેસ રાજકોટ અને 2 કેસ અમદાવાદ શહેર પોલીસના ચોપડે નોંધાયેલા છે. પોરબંદરમાં કુતિયાણા વિધાનસભા સીટ પર સતત બે ટર્મથી ધારાસભ્ય બનતા કાંધલ જાડેજાને BJP કાઉન્સિલર કેશુ નેભા ઓડેદરા હત્યા કેસમાં હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગુજરાત સરકારે કાંધલ જાડેજા સામે કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.